bhavnagarBreaking NewsCrimeGujarat

તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળાત્કારના ગુન્હામાં આજીવન કેદની રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતાં પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી આર.એ.વાઢેર તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,તળાજા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૩૦/૨૦૧૮ ઇ.પી.કો.કલમ.૩૭૬ તથા પોસ્કો એકટ કલમઃ-૪,૧૮ મુજબના ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામનાં કેદી તરીકે સજા ભોગવતાં પેરોલ રજા ઉપરથી ફરાર મહેન્દ્દભાઇ ભાયાભાઇ ઉર્ફે ભાયશંકરભાઇ ધાંધલ્યા રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળો હાલ-દિહોર ગામમાં હાજર છે.જે બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જઇ તપાસ કરતાં નીચે મુજબના પેરોલ રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી પાડી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ હાથ ધરેલ છે.

ફરાર પાકા કામના કેદીઃ-
મહેન્દ્રભાઇ ભાયાભાઇ ઉર્ફે ભાયશંકરભાઇ ધાંધલ્યા ઉ.વ.૨૮ ધંધો-અભ્યાસ રહે.સથરા તા.તળાજા જી.ભાવનગર મુળ-ટીમાણા તા.તળાજા જી.ભાવનગર
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી આર.એ.વાઢેર તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા,ભદ્દેશભાઇ પંડયા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યું..

સંગઠન દ્વારા પત્રકારના પરિવાર ની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણી નો…

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों को समर्पण

पश्चिम रेलवे, भावनगर मंडल के पुनर्निर्मित एवं आधुनिक सुविधाओं से युक्त कम्युनिटी…

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા પાલીતાણા સિન્ધી સમાજ…

1 of 419

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *