bhavnagarCrime

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડમાં એમની બાજુમાં અજાણ્યો વ્યક્તિ આવીને ઢળી પડ્યો અને ત્યારબાદ રાજુભાઈ સારવાર માટે તે શખ્સને રિક્ષામાં ભાવનગર સિવિલમાં લઈ આવ્યા હતા .

આ ઘટનાની જાણ થતા પોલીસે પોતાની તપાસ શરૂ કરી હતી જેમાં રાજુભાઈ રાઠોડ દ્વારા કહેવામાં આવેલી બધી જ વસ્તુઓ ખોટી નીકળતા પોલીસે ઉંડી તપાસ કરી હતી અને સમગ્ર ઘટના અલગ હતી.

સમગ્ર ઘટના ની હકીકતમાં 13/08 ના પાલીતાણાના ચેન્નાઈ ભુવન ખાતે વેઇટર તરીકે કામ કરતા પરપ્રાંતિય શ્રમિક અવિનાશને અન્ય છ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો .

ત્યારબાદ અવિનાશને ભાવનગર ની સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો . જ્યાં થોડા દિવસ ની સારવાર બાદ અવિનાશ નું મોત નીપજ્યું હતુ અને મારામારીનો કેસ મર્ડરમાં પરિવર્તિત થયો હતો .
પાલીતાણા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી 6એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરી આપવામાં આવ્યા છે .

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *