Devotional

ધામેલીયા પરિવાર દ્વારા શ્રીનાથજીની ભક્તિ, કીર્તન, અને વિશેષ આરતીનું આયોજન

રાજકોટમાં તા.10મીએ શ્રીનાથજી ઝાંખી

રાજકોટ,તા.8 રાજકોટમાં શ્રીનાથજીના ભાવિકો માટે આનંદના સમાચાર છે. ભગવાન શ્રીનાથજીના કૃપાશિષ્ટ આનંદમય ઝાંખી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પવિત્ર કાર્યક્રમનું આયોજન તા.10-1-2025, પોષ સુદ -11, શુક્રવાર સ્થળ: શ્રી બેન્કવેટ એન્ડ પાર્ટી લૉન્ઝ, મવડી-પાળ રોડ, ન્યારા પંપની બાજુમાં, મવડી, રાજકોટ ખાતે થશે.

આ કાર્યક્રમમાં શ્રીનાથજીની ઝાંખી સાથે ભાવપૂર્વકની ભક્તિ, કીર્તન, અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે. શ્રીનાથજી ઝાંખી એ ભક્તિ અને શ્રદ્ધાનો દિવ્ય ઉત્સવ છે, જેમાં ભક્તો ભગવાનની નિમિષ ઝંખના કરીને તેમના દર્શનનો લાભ લે છે. આ ઝંખી વિધિમાં વેદમંત્રો અને ભજન કીર્તન સાથે શ્રીનાથજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પવિત્ર અવસર પર ખાસ મહેમાનો જેમ કે સ્વર શૃંગાર નીધી ધોળકીયા અને દેવ ભટ્ટ આ ઉપરાંત સ્ટેજ સંચાલક શાસ્ત્રી શ્રી રાકેશ અદા અને ડાન્સ ગ્રુપ જય ધ્રુવ એન્ડ ટીમ અને અનેક ભક્તજનો ઉપસ્થિત રહેશે.

શ્રીનાથજીની ઝાંખીનો સમય બપોરે 2.30 થી 6.00 કલાકનો રહેશે. સામૈયા રાત્રે 8.00 કલાકે થશે. આ સાથે દેવ ડાયરો રાત્રે 9.00 કલાકે યોજાશે. સૌ શ્રીનાથજીના ભક્તોને આ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીનાથજીની કૃપા પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રીનાથજીની ઝાંખી દર્શનનો લાભ લેવા માટે આખા પરિવાર સાથે કાર્યક્રમમાં સહભાગી થવા શ્રી અમિતભાઈ વિજયભાઈ ધામેલિયા (મોં. 78748 11111 \ 98243 82155)એ વિનંતી કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

અંબાજી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી…

प्रयागराज कुम्भ में साड़ी कल्चर इंडिया ग्रुप की कुछ महिलाओं ने गंगा में त्रिवेणी संगम पर स्नान किया.

साड़ी कल्चर इंडिया और अखिल भारतीय ब्राह्मण महासभा (रजि )कार्यकारिणी महिला…

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: હિન્દુ…

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

1 of 17

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *