Ahmedabad

અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવી ચાલકોના જીવ સેફ કરવાનો કર્યો ઉમદા પ્રયાસ

અમદાવાદ, સંજીવ રાજપૂત:
ઉત્તરાયણને જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકોના ગળા કપાવવાના અસંખ્ય બનાવો બનતા હોય છે અને લોકો જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે લોકોના જીવ ન જાય તે માટે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે પોતાની ફરજ સાથે સાથે લોકોના જીવનું રક્ષણ કરવાની પણ જવાબદારી કુશળતા પૂર્વક નિભાવી રહી છે.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉતરાણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફ્ટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેટલા રાહદારીઓ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું જીવનનું ખૂબ જ મહત્વ ધ્યાનમાં રાખીને ઘાટલોડિયાના પીઆઇ કંડોળિયા, એસીપી બ્રહ્મભટ્ટ સહિત ઘાટલોડિયા પોલીસ સ્ટાફે સહયોગ આપીને રોડ ઉપર જઈ રહેલા રાહદારીઓને સેફ્ટી સ્પોક લગાવીને ઉતરાયણમાં કોઈ જાનહાની ના થાય તેવુ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.

ઘાટલોડિયા પોલીસ દ્વારા આશરે 300 થી 400 વાહન ચાલકોને આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસની આ પહેલને લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *