bhavnagarGujaratHelth

તળાજાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ

તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત કુદરતી મુત્યુ માં પરીવારને બેંક દ્વારા બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ નટુભાઈનું કુદરતી મુત્યુ થયું હતું.બેંક મિત્ર મહેશભાઈ ઢાપા બેંક કર્મચારી સ્ટાફ દ્વારા ઢાપા અશ્વિનભાઈ ને કુદરતી મુત્યુનાં કિસ્સામાં પરિવાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઢાપા અશ્વિનભાઈએ 436 રૂપિયા પ્રધામંત્રી જીવન જયોતિ બીમાં નું પ્રીમિયમ ભરેલું હતું. આ પ્રીમિયમ આખા વર્ષ નું 436 રૂપિયા પ્રીમિયમ છે.જેનાથી કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો ચેક અર્પણ કરવામાં આવે છે.આ વીમો લીધેલ હોઈ વારસદાર ને બેંક ખાતામાં વીમા રકમ જમા કરી આપવામાં આવે છે.

એસ.બી.આઇ.બેંક પીથલપુરનાં બ્રાન્ચ મેનેજર સિધ્ધાર્થ સાગર,ભૂપેન્દ્ર પરમાર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવે છે કે સરકારશ્રીના પ્રધામંત્રી જીવન જયોતિ વીમા તેમજ પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અચૂક કરાવવા જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 95

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *