Breaking NewsLatest

અંબિકા ભોજનાલય ખાતે મશહૂર સિંગર કિંજલ દવે એ ભોજન પીરસ્યું અને પ્રસાદ ગ્રહણ કર્યું

શકિતપીઠ અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે. દેશના 51શકિતપીઠ મા અંબાજી આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 સૂવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદીર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદીર ખાતે માઈ ભક્તો નો ભારે ઘસારો જોવા મળે છે અને આ મંદીર ખાતે વીઆઇપી લોકો પણ આવતા હૉય છે ત્યારે આજે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પોતાના પિતા સાથે માં અંબા ના દર્શન કરવા આવી હતી અને દર્શન કરીને અંબિકા ભોજનાલય ખાતે માઈ ભક્તો માટે ભોજન પીરસ્યું હતુ અને ત્યારબાદ ભોજનાલયમાં સામાન્ય ભક્તની જેમ બેસીને ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી.

   શકિતપીઠ અંબાજી ખાતે આજે 12:30 વાગે ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પોતાના પિતા સાથે માં અંબા ના દર્શન કરવા આવી પહોંચી હતી અને દર્શન કર્યાં બાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ પાસે આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ અંબાજી મંદિર ટ્રસ્ટ ના અંબિકા ભોજનાલય ખાતે આવીને અહી જમવા આવતા માઈ ભક્તો માટે ભોજન પીરસ્યું હતુ અને ત્યારબાદ તેમણે સામાન્ય ભક્તો ની પાસે બેસીને ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી તેમની સાથે તેમના પિતા લલીત દવે અને અંબિકા ભોજનાલય નું સંચાલન કરતા જય જલીયાન ટ્રસ્ટ ના હિતેશ ભાઈ ઠક્કર હાજર રહ્યા હતા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *