Breaking NewsLatest

અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાગી આગ. મોટી દુર્ઘટના ટળી.

અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું ટેન્કર જે ખાલી કરવા આવતા તેની પાઇપની અંદર આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે. આગ લાગતા હજુ સુધી કોઈ જાનહાની બની નથી. ફાયર વિભાગ દ્વારા આગને કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્રણ ફાયરના વાહનો કામે લાગ્યા છે જે આગ કાબુમાં લીધા બાદ તપાસના અંતે સાચું કારણ જાણવા મળશે. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો જેનો આવાજ એક કિમી સુધી સંભળાયો હતો. હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી છે અને પંપ પર ઉભેલા ટેન્કરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *