Latest

આજે મહુવા તાલુકાના કાળેલા ગામના મજુર લોકોના નરેગાના લાંબા સમયના પ્રશ્ન માટે સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ મહુવા તાલુકા પંચાયતનો ઘેરાવ કરવામાં આવ્યો,

મહુવા તાલુકા કાળેલા ગામ અને આજુબાજુના ગ્રામજનો દારા લાંબા સમયથી નરેગા અંતર્ગત રાહતની માંગણી કરવામાં આવેલ હતી અને વારંવાર અરજી અને રજૂઆત કરવામાં આવેલ હતી એના માટે મહેશભાઈ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામના માર્ગદર્શન હેઠળ કાળેલા ગામના હસુભાઇ ગોડકીયા અને પ્રકાશભાઈ વડેચા અને બીજા બધા ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો અંદાજિત 200 થી વધારે લોકો દારા મહુવા તાલુકા પંચાયતમા તાલુકા વિકાસ અધિકારીની સમક્ષ રૂબરૂ મુલાકાત લીધી અને વર્તમાન સ્થિતિ અંગે જણાવવ્યું અને જો ટૂંક સમયમાં આનું નિવારણ નહિ આવે તો તાલુકા પંચાયત મહુવા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી અને તાલુકા વિકાસ અધિકારી દારા બે દિવસની અંદર નરેગા અંતર્ગત કામની ફાળવણી કરી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવે છે

રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *