Breaking NewsLatest

કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાંસદ પરબતભાઇ રહેશે ઉપસ્થિત

બનાસકાંઠા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સાંજે-૪.૦૦ કલાકે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ખાતે નિર્માણ પામેલ એસ. ટી. બસ સ્ટેશનનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરશે. આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

પાલનપુર એસ. ટી. વિભાગના દિયોદર મુકામે રૂ. ૧૫૯.૧૩ લાખના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનથી આ અંદાજે ૩૫,૦૦૦ મુસાફરોને વાહન-વ્યવહારની સુવિધા પ્રાપ્તર થશે. આ બસ સ્ટેશનમાં ૭૦૦ બસોનું આવાગમન રહે છે. જેમાં વિધાર્થી ટ્રીપ-૧૨૨ દૈનિક, એક્ષપ્રેસ ટ્રીપ-૫૦ દૈનિક, લોકલ ટ્રીપ- ૩૫૦ દૈનિક, અન્ય ડેપો વિભાગની ટ્રીપો-૫૩ દૈનિક, આમ કુલ ટ્રીપો- ૪૫૩ દૈનિક છે. આ બસ સ્ટેશન પરથી વિધાર્થીઓને માસિક ૩૦૦ પાસ અને વિધાર્થીનીઓને માસિક ૫૦૦ પાસ, આમ કુલ- ૮૦૦ પાસ વિધાર્થીઓને કાઢી આપવામાં આવે છે તથા મુસાફર પાસ માસિક ૧૨૦ કાઢી આપવામાં આવે છે. તેમ બનાસકાંઠા જિલ્લા એસ. ટી. વિભાગીય નિયામકશ્રી સોલંકીએ જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *