Latest

જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે રક્તદાન શિબિર યોજાઇ

મેડિકલ કોલેજના છાત્રો ધ્વારા ૧૬૦ યુનિટનું રક્તદાન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગરની બ્લડ બેન્ક ખાતે નેશનલ મેડીકો ઓર્ગેનાઇજેશન અને રોટરીક્લબના સહયોગથી રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં મેડિકલ કોલજના વિધાર્થી અને વિધાર્થીનીઓ ધ્વારા ઉત્સાહ પૂર્વક રક્તદાન કરાયું હતું . આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના છાત્રો ધ્વારા અભૂતપૂર્વ ૧૬૦ યુનિટનું રક્તદાન કરાયું હતુ. જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ સલગ્ન જનરલ હોસ્પિટલ હીંમતનગરની બ્લડ બેન્ક નિયમિત રીતે રક્તદાન શિબિરો યોજાતી રહે છે. આ પ્રસંગે મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આશિષ કતારકર, ડોં.મયુર ગાંધી, આર.એમ.ઓ, ડોં.એન.એમ શાહ , પેથોલોજી વિભાગના વડા ડો.પરેશ શિલાદરીયાએ આવા રક્તદાન વડે જરૂરિયાતના સમયે રક્ત આપીને જીવન બચાવી શકાય તે વિષેની મહત્વતા વિધ્યાર્થીઓને સમજાવી હતી. આ રક્તદાન શિબિરમાં,ઇન્ટર્ન ડોક્ટર, બ્લડ બેન્કનો તમામ સ્ટાફ તેમજ મેડિકલ કોલેજના તમામ છાત્રો ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરમાં સહભાગી થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *