Breaking NewsLatest

ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા આંખોના રોગોનું નિદાન અને ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમ દબદબાભેર રીતે ઉત્સાહભેર યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા
નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમ દબદબાભેર રીતે ઉત્સાહભેર યોજાયો હતો.માતૃશ્રી એચ.જે.બારોટ મઉં,હાઈસ્કૂલ પરિસરમાં અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રસ્ટ,નવલભાઈ અને હિરાભાઈ આંખની હોસ્પિટલ બારેજાના સહયોગથી ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્વારા આંખોના રોગોનું તપાસ કેન્દ્રની ચતૃર્થ વાર્ષિક તિથિ નિમિત્તે દાતા કેતનભાઈ સુરેશચંદ્ર શાહ પરીવારના લાભાર્થે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૭૦ થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ૫૦ દર્દીઓને મોતિયો હોય આગામી ગુરૂવારે સંસ્થા દ્વારા બારેજા ખાતે ઓપરેશન માટે લઈ જવામા આવશે.આ કેમ્પમાં ફેન્ડ્ઝ ઓફ અરવલ્લીના સહયોગથી સાંભળવાની ક્ષમતા ચકાસવામા આવેલ દર્દીઓએ મોટા પ્રમાણમા લાભ લીધો હતો.
આંખોના નંબરવાળા ચશ્માના સમારંભ અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ બારોટ દ્વારા દાન આપ્યું હતું.
કાર્યક્રમમાં અમદાવાદથી મુખ્ય દાતા કેતનભાઈ સુરેશચંદ્ર શાહ,ચંદ્રકાંતભાઈ બારોટ,
બિપીનભાઈ જે.ભટ્ટ-નિવૃત અધિક કલેકટર,શ્રી નવરચના પ્રગતિ મંડળના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિહ ચંપાવત,મંત્રી ભરતભાઈ સુથાર,દામુભાઈ પટેલ,ચિઠોડા પી.એસ.આઈ એમ.એચ.પરાડીયા,જશુભાઈ મીઠાવાળા,આચાર્ય વિષ્ણુંભાઈ પી.પટેલ,સામાજિક કાર્યકર રામઅવતાર શર્મા,મુકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.


સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉદય સેવા સંસ્થાન ના જીતેન્દ્ર ભાટિયા,વલકેશ પટેલ,રોહિત પટેલ,રાજેન્દ્ર સોની,બિપીન પ્રજાપતિ,સુરેશ પ્રજાપતિ,જે.પી.શર્મા
,કમલેશ પટેલ,શંકર નિનામા, કિરીટ પંચાલ સહિત સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *