Breaking NewsLatest

ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા આંખોના રોગોનું નિદાન અને ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમ દબદબાભેર રીતે ઉત્સાહભેર યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા ઉદય સેવા સંસ્થાન દ્વારા
નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમ દબદબાભેર રીતે ઉત્સાહભેર યોજાયો હતો.માતૃશ્રી એચ.જે.બારોટ મઉં,હાઈસ્કૂલ પરિસરમાં અંધજન મંડળ,સમતા વિકાસ ટ્રસ્ટ,નવલભાઈ અને હિરાભાઈ આંખની હોસ્પિટલ બારેજાના સહયોગથી ઉદય સેવા સંસ્થાન ભિલોડા દ્વારા આંખોના રોગોનું તપાસ કેન્દ્રની ચતૃર્થ વાર્ષિક તિથિ નિમિત્તે દાતા કેતનભાઈ સુરેશચંદ્ર શાહ પરીવારના લાભાર્થે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૭૦ થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ૫૦ દર્દીઓને મોતિયો હોય આગામી ગુરૂવારે સંસ્થા દ્વારા બારેજા ખાતે ઓપરેશન માટે લઈ જવામા આવશે.આ કેમ્પમાં ફેન્ડ્ઝ ઓફ અરવલ્લીના સહયોગથી સાંભળવાની ક્ષમતા ચકાસવામા આવેલ દર્દીઓએ મોટા પ્રમાણમા લાભ લીધો હતો.
આંખોના નંબરવાળા ચશ્માના સમારંભ અધ્યક્ષ ચંદ્રકાંતભાઈ બારોટ દ્વારા દાન આપ્યું હતું.
કાર્યક્રમમાં અમદાવાદથી મુખ્ય દાતા કેતનભાઈ સુરેશચંદ્ર શાહ,ચંદ્રકાંતભાઈ બારોટ,
બિપીનભાઈ જે.ભટ્ટ-નિવૃત અધિક કલેકટર,શ્રી નવરચના પ્રગતિ મંડળના ઉપપ્રમુખ ભુપેન્દ્રસિહ ચંપાવત,મંત્રી ભરતભાઈ સુથાર,દામુભાઈ પટેલ,ચિઠોડા પી.એસ.આઈ એમ.એચ.પરાડીયા,જશુભાઈ મીઠાવાળા,આચાર્ય વિષ્ણુંભાઈ પી.પટેલ,સામાજિક કાર્યકર રામઅવતાર શર્મા,મુકેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.


સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉદય સેવા સંસ્થાન ના જીતેન્દ્ર ભાટિયા,વલકેશ પટેલ,રોહિત પટેલ,રાજેન્દ્ર સોની,બિપીન પ્રજાપતિ,સુરેશ પ્રજાપતિ,જે.પી.શર્મા
,કમલેશ પટેલ,શંકર નિનામા, કિરીટ પંચાલ સહિત સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારાસભ્ય નિમિષાબેન સુથારની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા ખાતે “નારીશકિતને વંદન“ કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, વી.આર. ગોધરા(પંચમહાલ):ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના 14 મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના…

ગુજરાતનુ ગૌરવ અપરાજિતા સંસ્થાને માઈ રમાબાઈ આંબેડકર ઇન્ટરનેશનલ એવોર્ડ ૨૦૨૫ દિલ્હી ખાતે એનાયત કરાયો.

નવી દિલ્હી, સંજીવ રાજપૂત; પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ…

1 of 699

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *