Breaking NewsLatest

મોડાસામાં 1962 કરુણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી

ગલૂડિયાં પર ભૂંડ દ્વારા કરેલ ઘાતક હુમલામાં ડૉ. પ્રિયાંશી અને પાઇલોટ હરીશભાઈ દ્વારા ગલૂડિયાનો  જીવ બચાવવામાં સફળ

  કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત, બિનવારસું (માલિક વિહોણા) પશુ-પક્ષીઓની સારવાર કરાવવી છે ?? તો ડાયલ કરો 1962 (કરુણા એનિમલ એમ્બ્યુલન્સને) અને કરાવો મફત સારવાર.108નું સંચાલન કરનાર GVK EMRI, અમદાવાદ દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962નું સમગ્ર સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સેવા હેઠળ અરવલ્લી જીલ્લા વિસ્તારમાં જે બિમાર તેમજ અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત, બિનવારસું (માલિક વિહોણા) પશુ-પક્ષીઓની સારવાર નિ:શુલ્ક કરવામાં આવનાર છે.આ સેવાનો લાભ મેળવવા જેમ હાલમાં 108 ની સેવા અમલમાં છે તે જ રીતે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962 કોઇપણ નાગરીક પોતાના મોબાઇલ ફોનથી ટોલ ફ્રી – 1962 નંબર ડાયલ કરી શકશે જેનાથી આ કરૂણા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી જઇને નિ:શુલ્ક સારવાર આપશે. આમ હવે રાજય સરકાર સ્વયં એનિમલ એમ્બ્યુલન્સ – 1962ના માધ્યમથી આવા મુંગા જીવોની વ્હારે આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા મોડાસામાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ દેવભૂમિ સોસાયટીમાં  સોસાયટીમાં ફરતા ભૂંડે ગલૂડિયાં પર ઘાતક હુમલો કર્યો હતો  અને ગલૂડિયાંના આંતરડા બહાર નીકળી ગયા હતા ત્યારે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ – 1962 પર સંપર્ક કરતા તરતજ ડો. પ્રિયાંશી અને પાઇલોટ હરીશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કૂતરાના ગલૂડિયાંને  ઇમરજન્સી સારવાર કરી કૂતરાના ગલૂડિયાને પાટાપીંડી ,દવા કરી જીવ બચાવી લેવામાં સફળતા મેળવી હતી .ત્યારે સ્થાનિક સોસાયટીના લોકોએ  અરવલ્લી જિલ્લાના  1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડૉ. પ્રીયાંશી અને પાઇલોટ હરીશભાઈ ની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી અને સરકાર દ્વારા મળતી અબોલા  તેમજ બિનવારસી,અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત પશું,પક્ષીઓની ની: શુલ્ક સારવારની સેવાને લોકોએ બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *