Latest

સુરત 108 ઇમરજન્સી સેવા સગર્ભા માતા અને બાળકો માટે આશીર્વાદ સમાન

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરત 108 ઈમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર અને તૈયાર રહેતી હોય છે અને માનવજીવન બચાવવાના આ મહાન યજ્ઞમાં પોતાનો ફાળો હંમેશા આપતી હોય છે

તેના જ ભાગરૂપે આજરોજ તારીખ 30/11/2023 ના રોજ બપોરે 01:00 વાગ્યા ની આજુબાજુ વડોદગામ પાંડેસરા પાસેનો એક સગર્ભા મહિલાની ઇમરજન્સી નો કેસ યુએચસી વડોદ 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવાને મળ્યો હતો અને ગણતરીના સમયમાં 108 ઇમરજન્સી સેવા ત્યાં પહોંચી ગઈ હતી

ત્યાં જઈને માતાને ચેક કરતા  જણાયું કે માતાને આ બીજી ડીલેવરી હતી તેમની ઉંમર 24 વર્ષ હતી અને તેમને અસહ્ય દુખાવો પણ હતો ત્યારબાદ માતાને એમ્બ્યુલન્સ ની અંદર લેતા ની સાથે જ થોડીક મિનિટોમાં માતાની ડીલેવરી એમ્બ્યુલન્સ ની અંદર જ કરાવવાની ફરજ પડી હતી

108 ઈમરજન્સી સેવાના મેડિકલ ટેકનીશીયન રાજેશભાઈ રાવળ તેમજ 108 ઈમરજન્સી સેવાના પાયલેટ ગુલસિંગભાઇ મળીને માતાની સફળ પ્રસુતિ 108 ઈમરજન્સી સેવા ની અંદર જ કરાવી હતી માતાએ સ્વસ્થ  બેબી ગર્લને જન્મ આપ્યો હતો

જો કે જન્મ લેનાર બાળકીના ગળામાં ગર્ભનાળ વિંટળાયેલ સ્થિતિમાં હોઈ મેડિકલ ટેકનીશીયન દ્વારા નાળ છૂટી કરાયા બાદ 108 ઇમરજન્સી સેવાના મેડિકલ ટેકનીશીયને બાળકને ઇ.આર.સીપી ડોક્ટર જે ડી પટેલની સલાહ મુજબ મધર કેર અને યુટ્રીન મસાજ આપીને માતાને બાળકને સલામત રીતે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કર્યા હતા હાલમાં બાળક અને માતાની તબિયત સારી છે અને બંને સ્વસ્થ છે આ અંગેની માહિતી 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર એ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *