Latest

આણંદમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ ડોક્ટરોના પરિવારને ન્યાય માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયુ

સુરત મુકામે આહીર શૈક્ષણિક ભવન અને આહીર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોને સાથે રાખી સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..

ગત અઠવાડિયામાં આણંદ મુકામે થયેલ ગમખ્વાર કાર અકસ્માતમાં આહીર સમાજનાં બે ડોક્ટર જતીન હડીયા અને ડૉ અંકિતા બલદાનીયા સહિત 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા અને 7 જેટલા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા

ગુજરાતમાં કાર અકસ્માતના બનાવ આવા બેજવાબદાર નબીરાઓ દ્વારા અવારનવાર બની રહ્યા છે અને મૃતકના પરિવારો પર અચાનક દુઃખ આવી પડે છે કોઈ પરિવારો નોધારા બની જતા હોય છે ત્યારે આવી ઘટનાઓને અંજામ આપનાર આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે

હજુ તથ્ય પટેલની અમદાવાદ ખાતે બનેલ હિટ એન્ડ રન ઘટના લોકો ભૂલ્યા નથી ત્યાં આણંદ મુકામે આ બીજી ઘટના બની છે એટલે સરકાર દ્વારા પણ ગંભીરતા લઈ આ કેસમાં દાખલ રૂપ સજા થાય તેવી કાળજી લે તે જરૂરી છે

આણંદ મુકામે બની ગયેલ કાર અકસ્માતમાં આહીર સમાજનાં એક ડોક્ટર ભાઈ અને એક ડોક્ટર બેન અકાળે મૃત્યુ પામ્યા છે જેનાથી એમના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનો આહીર સમાજ સૌ ખૂબ વ્યથિત અને દુઃખી છે

એમના પરિવારને અને મૃતકના પરિવારને ન્યાય મળે કડકપણે કાયદાનો અમલ થાય તેમજ ઘાયલ સહિત તમામ પરિવારોને સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે આહીર શૈક્ષણિક ભવન ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કમિટી અને આહીર ડાયમંડ વેપારી મંડળ અને અન્ય સંગઠનોના હોદ્દેદારોને સાથે રાખી સુરત કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *