Breaking NewsLatest

અંબાજી મંદિરની મહીલા હોમગાર્ડ સિંઘમ બની, બાળકીનો જીવ બચાવ્યો

 

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિર ના 7 નંબર વીઆઇપી ગેટ પાસે સાંજે 5:30 વાગે ભારે વરસાદના પગલે રોડ પર બે બાળકી પસાર થઈ રહી હતી અને અચાનક પાણીનો પ્રવાહ એકાએક વધતા આ બાળકી તણાઈ જવા પામી હતી જે જોઈને આ મહીલા હોમગાર્ડ નયનાબેન મનોજભાઈ પરમાર એ એક સેકન્ડનો વિચાર કર્યા વિના દોડીને બાળકીનો જીવ બચાવ્યો હતો.

ગુજરાતમા અને દેશમાં ઘણા આવા બહાદુર લોકો છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે ત્યારે ચોક્કસ પણે કહી શકાય છે કે અંબાજી મંદિર ના 7 નંબર ગેટ થી દોડીને બાળકીનો જીવ બચાવનાર મહીલા હોમગાર્ડ જવાનનું સન્માન થવું જોઈએ

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કૃષિમંત્રીની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને…

રાજ્યમાં સૌ પ્રથમવાર વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી સંપૂર્ણ શક્તિપીઠના દર્શનનો લાભ લેતા માઈ ભક્તો

અંબાજી, સંજીવ રાજપૂત: આરાસુરીની ગીરિકાંદરાઓ જય અંબે ના ઘોષથી ગુંજી રહી છે ત્યારે…

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *