Latest

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ભાવનગરના ૧૭ માં પાટોત્સવની વિધિ સંપન્ન થઈ.

આજરોજ વૈશાખ વદ સાતમના દિવસે ભાવનગર શહેરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની વિધિ સંસ્થાના સદગુરુ સંત પૂ. ઘનશ્યામચરણ સ્વામી, સંતો તથા હરિભક્તોની હાજરીમાં સંપન્ન થઇ.

સવારે ૭ થી ૮ દરમ્યાન વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવી, ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ઉપસ્થિત સંતો, હરિભક્તોએ ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો.

આ પ્રસંગે પૂ. ઘનશ્યામચરણ સ્વામીએ પાટોત્સવનો મર્મ અને મહિમા સમજાવ્યો અને સૌ તને, મને, ધને સુખિયા થાય એવા આશીર્વાદ પાઠવ્યા.

મંદિર પાટોત્સવ ઉપક્રમે આયોજીત પ્રવચનમાળા અંતર્ગત શુક્રવારે રાત્રે ૯ થી ૧૧ પૂ. સોમપ્રકાશ સ્વામી દ્વારા ‘મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ‘ એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. કાલે શનિવારે રાત્રે ૯ થી ૧૧ ગઢડાના કોઠારી સ્વામી પૂ. અધ્યાત્મસ્વરૂપ સ્વામી લાભ આપશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *