Latest

ભાદરવી મેળામાં અંબાજી ચાચર ચોકમાં ૫૯ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા

અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠી છે. મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ, દર્શન, પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી, છાશ અને લીંબુ શરબતના સ્ટોલ પણ માઇભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે.

દૂર સુદુર થી આવતા પગપાળા યાત્રિકો નો થાક ઉતરે અને તેમને રાહત મળે એ માટે કેટલાય સેવાભાવી લોકો લીંબુ શરબત પીવડાવી માઈભક્તોની સેવાનો અનન્ય લહાવો મેળવે છે.
અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા ૫૯ વર્ષથી લીંબુ શરબતની સેવા આપતા પટેલ નગીનભાઈ હાથીભાઈ વાસદ, તા. આણંદ, જિલ્લો – ખેડા નો સેવા કેમ્પ માઈભક્તોની સેવામાં અવિરત સેવા આપી રહ્યા છે. નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવા આવે છે , અને એમની ટેક છે કે જીવે ત્યાં સુધી આજીવન ભાદરવી પૂનમ ના મેળા માં આ સેવા આપતો રહીશ.

નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં ૧૫૦ જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માઈ ભક્તોની સેવા માટે જોડાય છે. અંબાજી ચાચર વિસ્તાર માં ૧૨ કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે. નગીનભાઈ પોતાનો સરસામાન લઈને આઠમે અંબાજી આવી જાય છે,અને નોમના દિવસથી પૂનમના બપોર સુધી નિઃશુલ્ક આ સેવા આપે છે. પગપાળા ચાલતા આવતા યાત્રિકો મા અંબેના દર્શન પહેલાં લીંબુ શરબત અચૂક પીવે છે. આ શરબતમાં સેવા અને શ્રદ્ધાના સમન્વયથી માઇભકતો માં નવી શક્તિનો સંચાર થાય છે અને નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ મા ના દર્શન માટે જાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *