Latest

શ્રીમદ ભાગવત કથા, યાત્રાધામ અંબાજીમાં શ્રીમદ ભાગવત કથા 7 દિવસ સુધી ચાલશે, શોભાયાત્રા અને કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થા નું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબા ના મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માં ના ચરણે આવી શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે.

તો સાથે સાથે ધર્મની નગરી અંબાજીમાં અનેકો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ યોજતા હોય છે જેમાં માઇભક્તો અને ગ્રામજનો ધૂમધામથી સહભાગીદાર થઈ કાર્યક્રમને સફળ બનાવતા હોય છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન સરિતા નું શુભારંભ કરવામાં આવ્યું હતું.

શક્તિપીઠ અંબાજી ખાતે આજે શ્રીમદ ભાગવત કથા નો આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથા તારીખ 2/9/2023 શનિવાર ના રોજ થી શરૂ થઈ સાત દિવસ સુધી ચાલશે. તો તારીખ 8/9/2023 શુક્રવાર ના રોજ કથા નુ વિરામ થશે. શ્રીમદ ભાગવત કથાના શુભારંભ પહેલા યાત્રાધામ અંબાજી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.

શોભાયાત્રા મા ગુજરાત ના પ્રખ્યાત ગાયક કલાકારો જોડાયા હતા.શોભાયાત્રા અંબાજી મંદિર શક્તિ દ્વાર થી શરૂ થઈને જૂની કોલેજના ગ્રાઉન્ડ મા કથા સ્થળે પૂર્ણ થઈ હતી. કથા ના આયોજક દાંતા ના સ્વરૂપ ભાઈ કે. રાણા અને અમદાવાદના હરિશ્ચંદ્ર ડી. પરમાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજે કથા ના પ્રારંભે દીવ પ્રજલિત કરી કથાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રા અને કથાનો લાભ લેવા માટે પહોંચ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 620

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *