Latest

ભારતીય જનતા પાર્ટી અંબાજી અને હિંદુહિત રક્ષા સમિતિ દ્વારા આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ની મુલાકાત કરવામાં આવી

આજ રોજ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટી તથા હિન્દુ હિત રક્ષક સમિતિ અંબાજીના અગ્રણીશ્રીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. હોસ્પિટલના અધિક્ષકશ્રી ડૉ. વાય. કે. મકવાણા સાહેબનું પુષ્પગુચ્છ અને માતાજીની સબી આપીને સન્માન કર્યું.

હોસ્પિટલના અધિક્ષકશ્રી ડૉ. વાય. કે. મકવાણા સાહેબ દ્વારા હોસ્પિટલમાં ચાલતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે PMJAY, ડિલિવરી, ઇમરજન્સી સેવાઓ તથા દાખલ થયેલ દર્દીઓને સર્જીકલ તેમજ ઓર્થોપેડીક ઓપરેશન તથા મેડિકલ સારવારના દર્દીઓની સુવિધાઓ અંગે અગ્રણીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ અગ્રણીશ્રીઓએ સમગ્ર હોસ્પિટલની અંદર દરેક વોર્ડ અને હોસ્પિટલની અંદર ચાલતી વિવિધ પ્રકારની સુવિધાઓની જાત નિરીક્ષણ કર્યું. અને દર્દીઓ સાથે વાતચીત કરીને દર્દીઓને મળતી સુવિધાઓ વિશે વિશેષ જાણકારી મેળવી હતી. આવેલ પદાધીકારીઓએ હોસ્પિટલની સુવિધાથી આત્મ સંતોષ વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલમાં આવનાર દિવસની અંદર કોઈપણ મદદની જરૂર હોય તો એમના તરફથી સંપૂર્ણ ખાતરી આપવામાં આવી હતી. હોસ્પિટલની અંદર રહેલા અધિકારીશ્રી/કર્મચારીઓના કાર્યને બિરદાવામાં આવ્યો હતો. હોસ્પિટલ મુલાકાતમાં પધારેલ તમામ મહેમાનોનું હોસ્પિટલ પરિવાર ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી અનુભવે છે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *