Latest

બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

આણંદ, ગુરૂવાર :: નાગરિકોને બેંકની વિવિધ યોજનાની જાણકારી મળી રહે તેમજ બેન્કીંગ સિસ્ટમથી અવગત થાય તેવા હેતુથી આણંદ જિલ્લા લીડ બેંક – બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજરશ્રી અભિષેક પરમારે બેંક ઓફ બરોડાની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે ચાલતા આત્મનિર્ભર તાલીમ કેન્દ્ર, વલાસણના નિયામકશ્રી મકવાણા તથા NPCI ના ટ્રેનર ઋત્વિક ભાવસારએ DBT, NEFT, RTGS, ECS, IMPS, PFMS,  UPI અને કાર્ડ મારફતે નાણાકીય લેવડ દેવડ દરમિયાન રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેંકના અધિકારીઓએ ગ્રામજનોને ઘર  ઘર   કે.સી.સી. અભિયાનનો ખેડૂતો/પશુપાલકોને વધુમાં વધુ લાભ  લેવા અનુરોધ કર્યો  હતો.

આ શિબિરમાં બેંક  ઓફ બરોડા ગામડીના બ્રાન્ચ મેનેજર  પંકજભાઈ  પરમાર, સામરખા SBI  બેંકના બ્રાન્ચ મેનેજર અનિતા કુમારી, બેંક ઓફ ઇન્ડિયા  સામરખા  મેનેજરના પ્રતિનિધિ, અગ્રણી બી. યુ. પરમાર, ગામના યુવાનો, દૂધ  મંડળીના સભાસદો/પશુપાલકો  તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ ભૂમિકા પડ્યાં આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *