Latest

બોટાદ અને ભાવનગર જીલ્લા ના જંગલ રામ ભરોસે વન્ય જીવો પણ રામ ભરોસે વનપાલ અને વન રક્ષકો ગ્રેડ પે, રજા પગાર , અને નોકરી ના પ્રશ્ને અચોકકસ મુદત ની રજા પર

 

– પડતર માંગણીઓને લઇ વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રજુઆત કરવામાં આવી હોવા છતા કોઇ કાર્યવાહી થઇ નથી..

ગુજરાત રાજ્ય વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ ની નોકરીના પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રજુઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દા વન રક્ષક ને ૨૮૦૦ અને વનપાલ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે તેમજ રજા ના દિવસે બજાવેલ ફરજ ના ભાગરુપે રજાપગાર આપવો તેમજ અન્ય રજુઆત કરવામાં આવી હતી.

બોટાદ અને ભાવનગર જીલ્લા મા અવારનવાર વનીકરણ ક્ષેત્રમા અને વન્ય જીવો બાબતે ના બનાવો બનતા હોય છે જેમાં વનીકરણ મા વધારો કરવા માટે અને વન્ય જીવો ને બચાવવા માટે બોટાદ – ભાવનગર ના વન કર્મી ઓ ખડેપગે ફરજ બજાવતા હોય છે તેમ છતા પણ વન ખાતા ના વર્ગ ના ૦૪ ના કર્મચારીને ૧૯૦૦ ગ્રેડ પે ચુકવવામાં આવે છે જ્યારે વર્ગ ૦૩ ના કર્મચારી ને ૧૮૦૦ ગ્રેડ પે ચુકવવામાં આવે છે .

તો આવા અન્યાય ને લઇ ને સરકાર વિરુધ્ધ ગુજરાત તેમજ બોટાદ-ભાવનગર જીલ્લા ના તમામ વનપાલ અને વનરક્ષકો અચોકકસ મુદત ની રજા ઉપર ઉતરી જતા ઓફિસો પણ ખાલી ખમ ભાસી રહી છે..

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *