Latest

બોટાદના ભદ્રાવડી ગામના યુવકના અપહરણ બાદ આરોપીઓ દ્વારા યુવક અને તેમના પરિવારજનોને ખોટી રીતે બદનામ કરવાનો કાવતરું રચી પોલીસ અને મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવતા નિવેદનો આપતા ઇસમો સામે પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી.

થોડા દિવસો પહેલા બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામે રહેતા વિપુલભાઈ નંદલાલભાઈ શેખ નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગેની પોલીસ ફરિયાદ પાળીયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે ફરિયાદ બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,

જ્યારે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા. જોકે આ ઘટના બાદ ભાગી ગયેલા આરોપીઓ અને તેમના મળતીયાઓ દ્વારા પોલીસ સમક્ષ ખોટા નિવેદનો આપી મીડિયામાં ખોટી માહિતી આપી વિપુલ શેખ અને તેમના પરિવારને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતા વિપુલ શેખ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવે છે,

જે અરજીમાં જણાવાયું છે કે બોટાદ પોલીસને આપવામાં આવેલી ખોટી માહિતી બાદ વિપુલ શેખ અઢળક રૂપિયા કમાયો હોય, હોવાથી પૈસા પડાવવા આ અપરણ કરાયો હોવાનું ખોટી માહિતી પોલીસને આપાઈ હતી જેને લઈને જાણીતા અખબારમાં આ માહિતી છાપવામાં આવી હતી, તેમજ અન્ય અખબારોમાં પણ ભોગ બનનાર વિપુલ શેખ ઓનલાઇન ગેમિંગના ધંધામાં કરોડો રૂપિયા કમાયો હોવાની ખોટી વાતો વહેતી થઈ હોય જેને લઇ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે,

વિપુલ શેખ અને તેમનો પરિવાર એક સામાન્ય વેપારી છે અને ઓઇલ મીલ ચલાવી પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે કેટલાક ઈસમો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, વિપુલ શેખ દ્વારા લગ્ન પ્રસંગમાં 18 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા, મિત્રને કારગિફ્ટ આપવામાં આવી, ફિલ્મ બનાવવામાં 400 કરોડનો નફો થયો આવી ખોટી અફવાઓ ફેલાવતા વિપુલ નંદલાલભાઈ શેખ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવા અંગે પોલીસ માં ફરિયાદ આપવામાં આવી છે.

રિપોર્ટર જયરાજ ડવ બોટાદ

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *