Latest

ચૈત્રી નવરાત્રિના પાંચમે નોરતે યાત્રાધામ અંબાજી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાએ માતાજીના દર્શન કર્યા


આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પાવન અવસર ચૈત્રી નવરાત્રિના પાંચમા નોરતે આજે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. નાયબ મુખ્ય દંડકશ્રીએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં હતા. તેમણે માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હાલ ચૈત્રી નવરાત્રિએ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *