Latest

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર જયપાલસિહની જાણકારી આપનારને રૂ. રૂ.૨૦,૦૦૦નું રોકડ ઇનામ અપાશે

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલી મિસિંગ ફરિયાદ મુજબ જયપાલસિહ ઇન્દ્રસિહ તંવર (ઉ.વ. ૩૨, રહે. પ્લોટ નં.૧૬૩, રવિનગર, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા, સુરત; મુળ વતન: ગામ ડોમાળા, પોસ્ટ-ટેમીકલા ઇસ્ટ, તા-જિ.ખંડવા, મધ્યપ્રદેશ) પાંડેસરાથી ગત તા.૩૦/૦૯/૨૦૨૧ ના રોજ પત્નીને “કામ પર જાંઉ છું” તેમ કહીને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા.

ત્રણેક દિવસ સુધીમાં ઘરે પરત ન આવતા પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં આજ દિન સુધી ગુમ થનાર મળી ન આવતા ફરિયાદીએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હોઈ, ગુમ થનાર જયપાલસિંહની પોલીસને સચોટ માહિતી આપનાર તથા શોધી કાઢનાર વ્યક્તિને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના ગુપ્ત સેવા અનુદાન ફંડ’માંથી રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રોકડ ઈનામ અપાશે.

ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ, ઉંચાઇ ૫.૫ ફુટ છે. તેણે શરીરે સફેદ શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. આ વ્યક્તિ વિષે જાણ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશન કે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા મિસીંગ સેલ, ક્રાઈમ બ્રાંચ, સુરતની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *