Latest

અંબાજી નજીક ખારાપાણી પાસે જંગલ મા આગ,જંગલ વિસ્તાર મા આગ લાગવા નુ કારણ હજી અકબં, ફાયબ્રિગેડ ધટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લા મા આવેલો દાંતા તાલુકો પહાડી અને જગલ વિસ્તાર થી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજી ના ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે.દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જગલી જીવ જંતુઓ પણ વસવાટ કરે છે.

હાલ મા ગર્મી ની શરૂઆત થઈ છે.અને ગર્મી ની શરૂઆતે અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગઈ કાલે દાંતા તાલુકા ના જંગલ વિસ્તાર મા બે જગ્યાએ આગ લાગવા ની ધટના સામે આવી હતી.

ગઈ કાલે મોડી સાંજે અંબાજી નજીક આવેલા ખારાપાણી વિસ્તાર પાસે જંગલ મા આગ લાગવા ની ધટના સામે આવી છે. અંબાજી નજીક આવેલા જીએમડીસી જોડે ના જંગલ મા આગ લાગવા ના દ્રશ્યો સામે આવ્યા છે. આગ લાગવા ના કારણે દૂર દૂર થી ધુંઆ ના ગુબ્બરાઓ જોવા મળ્યા હતા. જેથી આ આગનુ વિકરાળ રૂપ જોવા મળ્યુ હતું.

જંગલ વિસ્તાર હોવાના કારણે આગ લાગવાથી ઘણા જીવજંતુ સહિત ઝાડ બળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અંબાજી જોડે ખારા પાણી ના જંગલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગ લાગવા ની ધટના ની જાણ ફાયર બ્રિગેડ ને કરવા મા આવતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવી હતી ત્યાર બાદ ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *