Latest

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર જયપાલસિહની જાણકારી આપનારને રૂ. રૂ.૨૦,૦૦૦નું રોકડ ઇનામ અપાશે

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલી મિસિંગ ફરિયાદ મુજબ જયપાલસિહ ઇન્દ્રસિહ તંવર (ઉ.વ. ૩૨, રહે. પ્લોટ નં.૧૬૩, રવિનગર, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા, સુરત; મુળ વતન: ગામ ડોમાળા, પોસ્ટ-ટેમીકલા ઇસ્ટ, તા-જિ.ખંડવા, મધ્યપ્રદેશ) પાંડેસરાથી ગત તા.૩૦/૦૯/૨૦૨૧ ના રોજ પત્નીને “કામ પર જાંઉ છું” તેમ કહીને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા.

ત્રણેક દિવસ સુધીમાં ઘરે પરત ન આવતા પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં આજ દિન સુધી ગુમ થનાર મળી ન આવતા ફરિયાદીએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હોઈ, ગુમ થનાર જયપાલસિંહની પોલીસને સચોટ માહિતી આપનાર તથા શોધી કાઢનાર વ્યક્તિને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના ગુપ્ત સેવા અનુદાન ફંડ’માંથી રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રોકડ ઈનામ અપાશે.

ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ, ઉંચાઇ ૫.૫ ફુટ છે. તેણે શરીરે સફેદ શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. આ વ્યક્તિ વિષે જાણ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશન કે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા મિસીંગ સેલ, ક્રાઈમ બ્રાંચ, સુરતની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *