Latest

જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ

જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૧૮ વયના બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ થયો છે. આ કાર્યક્રમ હેઠળ બાળકને ગંભીર બીમારીઓ ઉપરાંત આંખ, વજન, ઉચાઇ, એનેમિયા, સહિતની બાબતોની તપાસણી કરવામાં આવે છે. તેમજ રસીકરણ, પોષણ પર પણ ભાર મુકવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વર્ષ-૨૦૨૫-૨૬ અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં ૦ થી ૧૮ વર્ષના કુલ ૨૨૦૬૧૮ બાળકોની આરોગ્ય તપાસણી જે તે આંગણવાડી, શાળા ની મુલાકાત લઈ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબઈલ હેલ્થ ટીમ નાં મેડીકલ ઓફિસર અને પેરા મેડીકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા અપ્રિલ-૨૫ થી પ્રાથમિક સ્ક્રીનીંગની કામગીરી શરૂઆત કરી દેવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રનાં ૦ થી ૫ વર્ષનાં કુલ પરપર જેટલા આંગણવાડી બાળકોની આરોગ્ય તપાસ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમજ તા. ૨૫ જુન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે જિલ્લા ની તમામ સરકારી અને ખાનગી પ્રાથમીક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા કુલ ૧૬૨૮૭૪ બાળકો ના પ્રાથમિક સ્કીનીંગની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ કામગીરી સમગ્ર વર્ષ દરમ્યાન ચાલશે.જેમાં બાળકોની આરોગ્ય તપાસ અને સામાન્ય બીમારી ધરાવતા વિદ્યાર્થીઓ ને સ્થળ ઉપર સારવાર અને ગંભીર બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને સંદર્ભ સેવા માટે આગળ હાયર સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવશે.આ બાળકો આખની તપાસ કરી જરૂરિયાત જણાતા બાળકોને મફત ચશ્મા નું વિતરણ કરવામાં આવશે.

ઉપરોક્ત, સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી શ્રીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા ની ૧૯ આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *