એબીએનએસ, વી.આર.ગોધરા:
ગોધરા સ્થિત કલેકટર કચેરીના સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર આશીષકુમારના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ માટે PMFME યોજના અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતુ કે વિવિધ જણસીના મુલ્ય વર્ધનના પ્રોજેક્ટ્સનો વ્યાપ વધે તથા યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે જરૂરી છે. બેઠકમાં ૧૧ પ્રોજેક્ટ્સને (અંદાજીત રૂપિયા ૨૯.૮૭ લાખની રકમના) બહાલી આપવામાં આવી હતી.
તેમજ કલેકટર દ્વારા યોજનાનો વ્યાપ વધારવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી યોજના અંગે મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવે તે બાબતના પ્રયાસો હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.આ બેઠકમાં કમીટીના સભ્યો સાથે વિવિધ તાલુકાના ખેડુતો હાજર રહ્યા હોવાનું નાયબ બાગાયત નિયામક, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું.: એબીએનએસ