Latest

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર

એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ હાઇવે નજીક લિલેસરા-સારંગપુર રોડ પર આવેલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દ્વારા રિબન કાપીને કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા જિલ્લા કલેક્ટરએ કચેરીના નવ નિર્મિત કાર્યાલય માટે શુભેચ્છા પાઠવી હતી

અને પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ માટે જિલ્લા વહીવટી તંત્ર શકય તમામ રીતે સહાયરૂપ રહેશે તેમ જણાવ્યું હતું.જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજીત સિંહ રાઘવે જણાવ્યું હતું કે આ કચેરી ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ જેમ કે પંચમહાલ, મહિસાગર અને દાહોદના તમામ ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણના મુદ્દાઓનું શ્રેષ્ઠ કાર્યક્ષમતા સાથે ધ્યાન રાખે છે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા સૈનિક કલ્યાણ પુનાર્વસાટના સુરજીત સિંહ રાઘવ, બ્લુ બેલ સ્કૂલ અને એમબીએસ સ્કૂલના આચાર્ય, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના એકસ-સર્વિસમેન ઉપસ્થિત રહ્યા હતા.પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ લીલેસરા બાયપાસ પાસે લીલેસરા – સારંગપુર રોડ પરના ગૌરવ સેનાની કુમાર ભવન ખાતે જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું નવું સરનામું છે. કચેરી સાથે સંવાદ કરવા ફોન નં. (૦૨૬૭૨)૨૪૦૫૮૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, ગોધરા (પંચમહાલ) દ્વારા જણાવાયું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *