Latest

ઉમરાળા ગામે જી.કે.પારેખ પ્રા.શાળા દ્વારા ધોરણ 8ના વિદ્યર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.કે.પારેખ પ્રા.શાળામાં ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આજરોજ 31 માર્ચ ને શુક્રવારે શુભેચ્છા વિદાય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

જેમાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓએ શાળાના સંસ્મરણો તથા પોતાના અનુભવોની વાત કરી ઉપરાંત ક્રિકેટ ટુનાર્ટમેન્ટ,નિબંધ લેખન, ચિત્રસ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા,મહેંદી સ્પર્ધા,હસ્તકલા વિજ્ઞાન મોડ્યુલ જેવી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા

જેમાં ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ તરીકે કુરેશી મયોદીન યાસિનભાઈ, ગોહિલ શિવભદ્રસિંહ જયપાલસિંહ તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે નાથાણી અયાન અશરફભાઈ સ્થાન મેળવ્યુ હતુ

કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય લાલજીભાઈ સવાણી તથા શિક્ષક સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે કાર્યક્રમનું સમગ્ર સંચાલન મેહુલભાઈ સવાણીએ કર્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *