Latest

પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ

પંચમહાલ, વી.આર, એબીએનએસ: પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી પૂર્ણ કરી નાગરિકોને સુરક્ષિત રસ્તાઓ પૂરા પાડવાનો છે. જિલ્લા કલેક્ટરએ માર્ગ મરામત કામગીરી પર સતત નજર રાખી છે અને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા છે.

જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના અગત્યના માર્ગો પૈકી ટૂવા-મહલોલ-વેજલપુર રોડ અને સંતરોડ–સંતરામપુર રોડ તથા બોડેલી-હાલોલ-ગોધરા રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. આ માર્ગોનું સમારકામ થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં ઘણી રાહત મળી છે.

વધુમાં અત્યાર સુધીમાં જિલ્લાના માર્ગો પર મહત્તમ પોટહોલ્સને મેટલ અને ડામર ભરીને પેચવર્ક કરવામાં આવ્યુ છે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની પેચવર્ક કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેમાં રસ્તા પરના ખાડાઓ મેટલ પેચવર્ક અને ડામર પેચવર્કથી ભરવાની કામગીરી અને જરૂરિયાત મુજબ નવા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *