Breaking NewsLatest

હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત

રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી આવી રહેલી એક કારે આગળ જતી બીજી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે આગળની કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.

આ ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 192

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *