Latest

હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

પાટણ, એ.આર, એબીએનએસ: જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કસની મુલાકાત પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને e-kyc અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે , પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ કરી હતી.

વધુમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ હારીજ ગામના પીવાનાં પાણીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલાં પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી. મંત્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવવા માટે વહીવટી તંત્રને તાકીદ કરી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સંગઠનના સદસ્ય રમેશ સીંધવ, ડો દશરથજી ઠાકોર, પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *