Latest

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે આણંદ જિલ્લાની મુલાકાતે

રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરશે

આણંદ, બુધવાર :: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી આજે આણંદની મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતેથી બપોરના ૩.૧૫ કલાકે લોકાર્પણ કરશે.

 આ લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રીની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, કમલેશભાઈ પટેલ અને આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ ભુમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *