Latest

સરકારી આઈ.ટી.આઈ. તળાજા ખાતે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ – ૨૦૨૨” યોજાયો

ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI ), તળાજા ખાતે વિવિધ ટ્રેડ જેવાં કે ઇલેક્ટ્રિશ્યન,કોપા,મિકેનિક ડીઝલ , ફિટર,વેલ્ડર વગેરે ટ્રેડમાંથી પાસ થયેલ અને નામાંકિત કંપનીઓમાં નોકરી પર લાગેલા હોય અથવા જેમને પોતાનો વ્યવસાય શરુ કર્યો હોય તેવા તાલીમાર્થીઓનો સન્માન સમારોહ એટલે કે “કૌશલ્ય દીક્ષાંત સમારોહ ” યોજાયો હતો.

આ કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી ક્લેક્ટરશ્રી વિકાસ રાતડા, મોડેલ સ્કૂલ તળાજાના આચાર્યશ્રી વિશાલભાઈ રાજ્યગુરુ,સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી ભરતભાઈ ઠંઠ,શ્રી લક્ષ્મણભાઈ કામળિયા(વૃંદાવન હોન્ડા તળાજા) , શ્રી જયભાઈ શાહ અને શ્રી કેતનભાઈ મકવાણા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

કુલ ૧૪૦ માંથી ૧૩૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં સંસ્થાનું ૯૭ % પરિણામ આવ્યું હતું તેમ આચાર્યશ્રી જયભાઈ દવેએ જણાવ્યું હતું. પ્રાંત અધિકારીશ્રીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1.30 લાખનું ઇનામ વિતરણ

શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું…

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *