જામનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટનું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આશરે ૫૦ ઘર માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી મહામંત્રીઓ પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા સહીત મહિલા મોરચા ના અધ્યક્ષ રીટાબેન જોટંગીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ, વિધવા, નિરાધારનો આધાર બની, તેઓને અનાજ કીટનું વિતરણ કરી આશીર્વાદ મેળવી ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીએ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.