Latest

જેએમસી તથા માહેશ્વરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ડાયગ્નોસ્ટિક એન્ડ અવેરનેસ કેમ્પનું કરાયું આયોજન

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયર શાખાના હોલમાં માહેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલ ના સહયોગથી નિશુલ્ક હાડકાની ઘનતા માપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પ ની શરૂઆત શહેર મેયર , ધારાસભ્ય, માહેશ્વરી હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમ તથા મનપાના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ ડોક્ટર શાલીન માહેશ્વરી એ ઓસ્ટીઓ પોરોસીસ વિષય ક પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હાડકાની ઘનતા તથા તેની જાળવણી અને ઘરના રસોડામાંથી મળી રહેતા ઉપચારો વિષયક વિસ્તૃત સમજ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ઘરના રસોડામાંથી જ કેલ્શિયમ વિટામિન પ્રોટીન કેવી રીતે મેળવી શકાય સહિતની બાબતોની ઉપસ્થિત અધિકારીઓને કર્મચારીઓને વિસ્તૃત સમજ આપી હતી,

આ કાર્યક્રમમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, આસિ. કમિશનર કોમલબેન પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર શ્રી ગોરી, ઉર્મિલ દેસાઈ, નરેશ પટેલ, મહેશ્વરી હોસ્પિટલના ડો. કે. એસ. મહેશ્વરી, ડો. શાલીન માહેશ્વરી, ડો. રત્ના મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા, જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી હાડકાની ઘનતા માપવાના કેમ્પનો લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *