bhavnagarLatest

વલ્લભીપુરમાં મોક્ષ મંદિરના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સહિત અધિકારીઓની ઉપસ્થિતિ

વલ્લભીપુર તા.૧૯
વલ્લભીપુરમાં સર્વ જ્ઞાતિના પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે કથા વક્તા દિપાલી દીદીએ વલભીપુર ગ્રામજનોને ભાગવત કથામાં રસતરબોળ કર્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત કથા શ્રાવકો રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા.

આ અવસરે કૃષ્ણ જન્મોત્સવમાં વક્તા દિપાલી દીદી પણ વલભીપુરની ધર્મ પરાયણ ભાવિકો સાથે રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા. ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત મહંત શંભુપ્રસાદ ટુંડિયા (ધારાસભ્ય વલભીપુર)એ મોક્ષ ધામ સમિતિના આયોજકોને આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી.

ઉપસ્થીત મહેમાનો ગોહિલ પ્રદ્યુમનસિંહ (પ્રમુખ વલભીપુર તાલુકા ભાજપ), ગોહિલ મેહુલસિંહ (તાલુકા પંચાયત પ્રમુખ) તેમજ બ્રહ્મ સમાજના પ્રમુખ, મુસ્લિમ સમાજના યુનુસભાઇ મહેતર અને તમામ દાતાઓ, મહેમાનોને કથા પીઠાધ્યક્ષિકા દિપાલી દીદીએ દ્વારકાધીશનો ખેસ અર્પણ કરાયો હતો. તમામ મહેમાનો, દાતાઓ અને સંતો શ્રીમદ ભાગવતની આરતીમાં સાથે જોડાયા હતા

શ્રીમદ ભાગવત સપ્તાહમાં સર્વ ધર્મ સમરસતાના સુ-દર્શનમ્ મોક્ષ મંદિરના વિકાસ અર્થે વલભીપુર મુસ્લિમ સમાજ દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. જ્યારે પ્રજાપતિ સમાજ દ્વારા 1,34,250 નું અનુદાન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દેવીપુજક સમાજ દ્વારા પણ 30,250 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ વલભીપુર દ્વારા 1,51,111 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું.

તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

1 of 223

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *