Latest

ભરૂચના નંદેલાવ ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીનીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને  ખેલાડીઓ સન્માનિત કર્યા

ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યકિત વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે.

આજરોજ ભરૂચના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહેંચચા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડે વિડિયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓ એ ધરતી કરે પુકાર નાટક રજુ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવ્યું હતું. અને ઉપસ્થિત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યો હતા.  આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ મિસ્ત્રીએ પણ સરકારી સેવાઓનો લાભ ન લીધો હોઈ તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કૌશિક પટેલ, ઉપ પ્રમુખશ્રી રણજીતભાઈ, તાલુકા સભ્ય જયશ્રીબેન વાંછાની, સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચશ્રી પ્રકાશભાઈ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 610

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *