Latest

ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવતા ધારાસભ્ય કસવાલા

લીલીયાના સલડી ગામે ૯૦૦ વિઘાના તળાવના નવીનીકરણ માટે 2.42 કરોડની સૈધાંતિક મંજૂરી

સલડી આસપાસના 18 ગામડાની ખેતીઓ સધ્ધર થવાના સ્વપ્નો થશે સાકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો સહ્રદય આભાર વ્યક્ત કરતા કસવાલા

વિકાસ કામોની વણઝાર સાથે સુવિધાનો સરવાળો એટલે સાવરકુંડલા લીલીયા વિધાનસભા

સાવરકુંડલા લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર કરવા કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાળા કટિબદ્ધ બન્યા હોય ને ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવામાં સતત ગાંધીનગર મુખ્યમંત્રી સહિતના મંત્રીશ્રીઓ અને સચિવાલય માંથી વિકાસની કેડી કંડારતા ધારાસભ્ય કસવાળાએ લીલીયાના સલડી ગામે અંદાજે ૯૦૦ વિઘાના તળાવમાં નવીનીકરણ માટે 2 કરોડ 42 લાખની સૈધાંતિક મંજૂરી મેળવવા સલડી આસપાસના 18 ગામડાઓનાં પાણીના તળ ઉંચા આવે ને ખેડુતો ખેતીપાક પર બારે માસ ખેતી કરવાના સ્વપ્નો સાકાર થયા તેવા પ્રયત્નો ધારાસભ્યની કુનેહથી સફળ થયેલા છે

2.42 કરોડ જેવી માતબર રકમની સૈધાંતિક મંજૂરી મળતાં ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ખેડૂતોના હિત અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર દ્વારા તળાવ સાથે આસપાસના ગામડાઓની ખેતી સધ્ધર થાય તેવા અભિગમને પણ વધાવવામાં આવ્યો હતો ને લીલીયા પંથકના ખેડૂતોએ ધારાસભ્ય મહેશ કસવાળાની કાર્યદક્ષતાને બિરદાવી હતી તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *