Latest

અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું સફળ આયોજન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર મુજબ, રાજ્યમાં તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ અંતર્ગત Enumeration Formsનું છાપકામ, વહેંચણી, ફોર્મ એકત્રીકરણ, ડિઝિટલાઈઝેશન, મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ, હક્ક દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના તમામ તાલુકાના ચૂંટણી અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs), સુપરવાઈઝર્સ તથા સંલગ્ન કર્મચારીઓએ ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન ફોર્મ ભરવાની રીત, ડેટા એન્ટ્રી, ડિજિટલ પ્રક્રિયા, અરજીઓનો નિકાલ તેમજ મતદારયાદી સુધારણાના તમામ તબક્કાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ તાલીમના માધ્યમથી મતદારયાદીમાં શુદ્ધતા, પારદર્શિતા અને સમયબદ્ધતા જાળવી રાખવાનો હેતુ સિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ અધિકારીઓને આ કાર્યક્રમને ગંભીરતાથી અમલમાં મૂકવા સૂચના આપી છે.આ કાર્યક્રમની સફળતા માટે નાગરિકોનો પણ સહયોગ અપેક્ષિત છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *