Latest

વલ્લભીપુરમાં મોક્ષ મંદિરના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહની ભવ્ય ઉજવણી

ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજે ભવ્ય જાન જોડી

રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સહિત અધિકારીઓની ઉપસ્થિતિ

વલ્લભીપુર તા.20
વલ્લભીપુરમાં સર્વ જ્ઞાતિના પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે કથા વક્તા દિપાલી દીદીએ વલભીપુર ગ્રામજનોને ભાગવત કથામાં રસતરબોળ કર્યા હતા.

બહોળી સંખ્યામાં ઉપસ્થિત કથા શ્રાવકો અને જાનૈયા રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા. આ અવસરે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહમાં વક્તા દિપાલી દીદીએ ખુશ થઈને કારડીયા રાજપુતના મ્હોફાટ વખાણ કર્યા હતા.

રાજપૂતો સાથે ક્ષત્રિય કારડીયા રાજપૂત દ્વારા આ રૂક્ષ્મણી વિવાહ માં 3,51,000/- ચાંદલો કરાવેલ અને એક રાજપૂતને શોભાયમાન રીતે શિસ્તબદ્ધ રાજપૂત સમાજ ભવનથી અલગ અલગ શરીઓમાં થઈને ભાગવત સપ્તાહ સ્થળ સુધી જાન લઈને પહોંચ્યા હતા.

ઘોડા પર સવારી કરીને યુવાનો ડી.જે.ના તાલે બગી, ઘોડાગાડી સાથે જાન નીકળી હતી.

ઉપસ્થીત મહેમાનો સાંસદ ભારતીબેન શિયાળ તમામ મહેમાનો, દાતાઓ અને સંતો શ્રીમદ ભાગવતની આરતીમાં સાથે જોડાયા હતા. ભાગવત સપ્તાહના દાતાને આ પ્રસંગ માટે કહેવામાં આવ્યું હતું કે આ પ્રસંગ રાજપૂત સમાજ વતી કરવાનો છે ત્યારે દાતા દિલીપસિંહ પરમાર અને મહેશભાઈ બંને ભાઈઓએ આ પ્રસંગને રૂડો દીપી ઉઠ્યો હતો.

તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *