Latest

આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે નાગ પંચમીના દિવસે વલભીપુર શહેરમાં ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં પાટીદાર સમાજના શૈલેષભાઈ ઓધવજીભાઈ બેલડીયા તેમના નિવાસ્થાનેથી આ શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી અને વલભીપુર શહેરની અલગ અલગ શેરીઓમાં

ઢોલ નગારા શરણાઈ ફટાકડાની આતિશ બાજી સાથે ઘોડી ઉપર નેજા સાથે આ શોભાયાત્રા ભાથીજી મહારાજના મંદિર. પૂર્ણ થઈ હતી ત્યારે આ શોભાયાત્રામાં તમામ જ્ઞાતિજનો એકત્રિત થઈને જોડાયા હતા અલગ અલગ વિસ્તારોમાં આ શોભા યાત્રાનું હર્ષ ઉલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું .

નાની નાની બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા. માતાઓ અને બહેનો દ્વારા ભાથીજી મહારાજના જય કોઈ સાથે ગરબાને તાલે ઝુમ્યા આ શોભાયાત્રામાં અલગ અલગ સમાજના બાળકો દ્વારા જેમ કે માલધારી સમાજ બાળકો દ્વારા લાઠી ફેરવતા તલવાર સમળતા ખુબ સુંદર શોભાયાત્રા નીકળી હતી અને ભાથીજી મહારાજ નાં મંદિરે ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ નેજાના દર્શન કરીને ભાથીજી મહારાજની પ્રસાદી લીધી હતી

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ સ્ટોલ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર…

ચેમ્બર ઓફ કોમર્સના લેડિઝ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ…

1 of 539

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *