Latest

પાટણા અવાવરું સ્થળે થી નવજાત બાળકી મળી આવી

ભાવનગર જિલ્લાના પાટણા નજીક એક ટીંબો આવેલો છે ત્યાં અવાવરું સ્થળેથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી જઈ બાળકીનો કબ્જો લઈ. વલ્લભીપુર 108 ને જાણ કરતાં સૌ પ્રથમ પાટના પી.એચ.સી માં અને ત્યારે બાદ વલ્લભીપુર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી 108 પાયલોટ ગોહિલ બળદેવસિંહ 108 ના ડોક્ટર રાઠોડ હિરેન

વલ્લભીપુર પોલીસના પી.એસ. આઇ પી. ડી ઝાલા તેમની ટીમ સાથે પહોંચી બાળકીને હોસ્પિટલ પહોંચાડી માનવતા નું ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું . બાળકી જે સ્થળેથી મળી આવી ત્યાં કોઈ મહિલાએ અસ્પષ્ટ શબ્દોમાં લખેલી નાની ચિઠ્ઠી મળી આવી હતી.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ નજીક અવાવરું વિસ્તારમાં એક નવજાત બાળકી મળી આવી હતી. પાટણા નજીક જંગલ જેવા અવાવરું વિસ્તારમાં ગાયો ચરાવતા ગોવાળોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળતા દોડી જઈ તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી.

જે અંગે માલધારી દ્વારા ગામના લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાળકી જે જગ્યા પર થી મળી આવી ત્યાં અસ્પષ્ટ શબ્દોમાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોચી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *