મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત
અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ ને લેખિત મૌખિક રજુઆતો – સારા પરિણામ માટે વધુ એક ડગલું
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન બાદ ઉચ્ચ રજુઆતો કરવામાં આવી છે ત્યારે આજરોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અતુલભાઈ કાનાણી ને લેખિત મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.
જેના પ્રત્યુત્તરમાં જીલ્લા ભાજપ પ્રમુખે મિશન બ્રોડગેજ ને સંપુર્ણ વ્યાજબી ગણાવી લોકહિત માટે જે બિનરાજકીય મિશન ધારી પત્રકાર સંઘે શરૂ કરેલ છે તેને આવકારેલુ છે. આ સાથેજ જીલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે મારી લાગણી અને માંગણી હંમેશા ધારી – ચલાલા – વિસાવદર ની મુસાફર જનતાની સાથે જોડાયેલી છે.
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, સાંસદ ભરતભાઈ સુતરીયા ને યોગ્ય રજુઆત કરીને આગામી દિવસોમાં અમરેલી જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યો ને સાથે રાખીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રેલ્વે મંત્રીને રજુઆત કરવા માટે ધારી પત્રકાર સંઘ ની સાથે જાશે તેમજ આ વ્યાજબી માંગ ને સ્વિકારવામાં નહીં આવે તો એક વખત નહીં પરંતુ પાંચ વખત દિલ્હી જવું પડે તો હું સાથે આવવા તૈયાર છું.
વધું માં તેઓએ જણાવ્યું હતું કે બ્રોડગેજ સુવિધા ના કારણે લાખો લોકોને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે, રોજગાર ની તક પણ ઉભી થશે, અમરેલી જીલ્લા સહીત આસપાસના વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળોનો વિકાસ થશે. અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મળી રહે એ માટે ના મિશન માં હંમેશા ધારી પત્રકાર સંઘ ની સાથે છીએ અને સરકાર નું ધ્યાન દોરવા માટે પુરતા પ્રયત્નો કરીશ તેવી ખાતરી આપી હતી.
જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ને લેખિત મૌખિક રજુઆતો કરવા માટે ધારી પત્રકાર સંઘ ના સહુ પત્રકાર મિત્રો, અમરેલી બ્રોડગેજ કમેટી ના આદરણીય વડીલ રાજેશ ભાઈ ગાંધી-માતાઓ -બહેનો ની સાથોસાથ માજી ધારાસભ્ય મનસુખ ભાઈ ભુવા, વંદનિય શિક્ષક એસ.એચ પરમાર સાહેબ, બજરંગ ગ્રુપ ના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી, પાલીકા સદસ્ય ગૌતમ ભાઈ દાફડા, કાનાભાઈ, ચલાલા થી પ્રકાશભાઈ કારીયા, કનુભાઈ મારૂં, ગોરધનભાઈ ગેડીયા, દિનેશભાઈ માલવીયા પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ને લેખિત મૌખિક કરતી વેળાએ આદરણીય પરમાર સાહેબે જણાવ્યું હતું કે ધારી પત્રકાર સંઘ દ્વારા બ્રોડગેજ સુવિધા માટે વ્યાજબી માંગ કરવામાં આવેલ છે જે માંગ મુજબ અમરેલી થી ચલાલા – ધારી – વિસાવદર બ્રોડગેજ સુવિધા વ્હેલી માં વ્હેલી તકે મંજુર કરવામાં આવે.
ધારી તાલુકાના લાખા લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરોમાં વર્ષો થી સ્થાઈ થયેલા છે જેમનો વહેવાર અને વેપાર સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો છે. બ્રોડગેજ સુવિધા થવાથી ધારી ચલાલા વિસાવદર નો આર્થિક વિકાસ પણ થશે અને સાથોસાથ દેશના વિવિધ નાના મોટા શહેરો સાથે કનેક્ટીવીટી પણ મળશે એટલા માટે આજરોજ ધારી પત્રકાર સંઘ ની વ્યાજબી માંગ સાથે બિનરાજકીય મિશન માં અમો ભારતીય જનતા પાર્ટી ના પાયા ના પથ્થર સમાન નાના હોય કે મોટા કાર્યકરો હોય એ તમામ આ માંગ ને ટેકો આપીએ છીએ અને આ વ્યાજબી માંગ વ્હેલી તકે સંતોષાય એવી આશા અપેક્ષા અમો સરકાર પાસે રાખી રહેલા છીએ.
કૌશિક ભાઈ વેકરીયા સાથે માત્ર ટેલીફોનીક સંપર્ક – મુલાકાત કેન્સલ થયેલ
ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી , ધારી ના રાજકીય આગેવાનો, ચલાલા શહેર ના સામાજિક આગેવાનો સાથે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા ની મુલાકાતે આવેલ પ્રતિનિધિ મંડળ ની સાથે ભાવનગર ખાતે ના કાર્યક્રમ ના કારણે કૌશિક ભાઈ વેકરીયા હાજર નથી રહી શકેલા ન હતા પરંતુ તેઓએ ટેલીફોનીક વાતચીત કરી ને સમગ્ર વ્યાજબી માંગ વિશેની જાણકારી મેળવી હતી.
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, રેલ્વે મંત્રી, ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ ભાઈ વિશ્વકર્મા ને રજુઆતો કરીશ એ સાથેજ આવતા સપ્તાહ માં ધારી પત્રકાર સંઘ સાથે રજુઆતો કરવા આવેલા તમામ લોકોની સાથે મુલાકાત કરીને પુરતો સમય આપીશ તેવું જણાવ્યું હતું.
















