ગોધરા, વી.આર. એબીએનએસ,
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા સરકારી આઇ.ટી.આઇ, ઘોઘંબા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની ૦૯ નોકરીદાતા કંપનીઓ દ્વારા ૧૦૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી કુલ ૪૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.
આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા અને ઇમ્પેક્ષ-બી કરિયર કાઉન્સેલર રાકેશભાઈ સેવક દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રન્ટીસ માર્ગદર્શન અને રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૦ જેટલાં હાજર મહિલા અને પુરુષ ઉમેદવારો પૈકી ૪૨ ઉમેદવારોની ૦૯ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.