Latest

જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતે જયશ્રી ચામુંડા યુવક કુંવરિકા ગરબી મંડળની ગરબીમાં યુવક-યુવતીઓએ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા માથે સળગતી ઈંઢોંણી મૂકી અદભુત રાસ-ગરબા રજૂ કર્યા હતા તો વિવિધ વેશભૂષા થકી પીએમ મોદીની વેશભૂષા સાથે માથે સળગતી ઈંઢોંણી દ્વારા રાસ-ગરબા રમતો યુવક અમિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને લોકોએ તેને વધાવ્યો પણ હતો.

રાજ્યભરમાં નવલી નવરાત્રીની ધૂમધામ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે લોકો પાંચમા નોરતે મન મુકીને ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. આ ગરબી મંડળના આયોજક દિલીપભાઈ માન્ડવીયાએ જણાવ્યું હતું કે જામનગરના પંચેશ્વર ટાવર ખાતે જય શ્રી ચામુંડા યુવક કુંવારિકા ગરબી મંડળ છેલ્લા 44 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરે છે

જેના ભાગરૂપે પાંચમા નોરતે વિવિધ વેશભૂષા સાથે માથે સળગતી ઈંઢોંણી સાથે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા લોકોમાં અનેરું આકર્ષણ બની હતી. આ ઉપરાંત ગરબી મંડળના યુવક યુવતીઓ દ્વારા માથે સળગતી ઈંઢોંણી મૂકી જોશ અને ઉત્સાહ સાથે રાસ-ગરબા રજૂ કરી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનીની ઝલક રજૂ કરી હતી

તો અન્ય બાળાઓ દ્વારા વિવિધ ગરબા પર ઝૂમી નવરાત્રીનો ઉત્સવ ઉજવતા જોવા મળી હતી. પીએમની વેશભૂષામાં સજ્જ યુવક અમિત માન્ડવીયા દ્વારા માથે સળગતી ઈંઢોંણી મૂકી રાસ-ગરબા રમતા એક ઝલક જોવા માટે ભીડ ઉમટી પડી હતી. નવરાત્રી ધીરે ધીરે પૂર્ણતા તરફ વધી રહી છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ગરબા ઉત્સવને વિવિધ જોશ સાથેની રજૂઆતો સાથે પહેરવેશ સાથે ઉત્સવને ગરબા સાથે ઉજવી રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *