Latest

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે પરંતુ આ વખતે ૮ વર્ષ બાદ 6 માર્ચના રોજ યોજાઈ રહી છે. ત્યારે પોતાની દાવેદારી નોંધાવેલ ઉમેદવાર એડવોકેટ નરેન્દ્ર માધુ લોકચાહના મેળવી રહ્યા હોય તેવું તેમના સમર્થકો અને મિત્ર વર્તુળમાં જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજવા જઈ રહી છે જેને લઈ ઉત્તર ગુજરાતની જન્મભૂમિ અને અમદાવાદ કર્મભૂમિ ધરાવતા એવા એડવોકેટ નરેન્દ્ર માધુએ પણ ઉમેદવારી નોંધાવી છે ત્યારે જીતને લઈ સમર્થકો અને મિત્ર વર્તુળમાં ઘણી લોકચાહના મેળવી રહ્યા છે તો તેમના સમર્થકો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

દરેક બાર એસોસિએશનમાંથી ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વખતે એક નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે જેમાં જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોને વધારે પસંદગી આપવામાં આવી છે. એવા જ યુવા અને ઉત્સાહી એડવોકેટ નરેન્દ્ર આર. માધુ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહેલા ટૂંકા સમયમાં જ ગુજરાત હાઇકોર્ટ અને સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વકીલ મિત્રો માટે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

ડિસિપ્લિનરી કમિટીમાં રહી વકીલોના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે ઉભા રહેતા જોવા મળ્યા છે. ખાસ વાત કે તેમણે ક્યારેય પણ વકીલ મિત્રોની કેસમાં ફી લીધી નથી.
છેલ્લા ૨૪ વર્ષથી તેઓ ઈમાનદારી અને નિષ્ઠા સાથે વકીલાત કરી રહ્યા છે.

તેમનો એક જ સંકલ્પ છે —વકીલોના હકોની રક્ષા અને તેમના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ. આ ચૂંટણીમાં કુલ ૬૮ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૫ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.

આગામી પરિણામો નક્કી કરશે કે વકીલ મિત્રો કોને પોતાના વિશ્વાસની દોરી સોંપે છે. પણ હાલ તો.તેમના વકીલ મિત્રોમાં નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસર હોય તેવો દાવો કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *