Latest

પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 111મી જન્મજયંતિ નિમિત્તે પેઇન્ટિંગ તસ્વીર અર્પણ કરવામાં આવી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 111મી જન્મજયંતિ નિમિત્તે મિશન ભારત રત્નના સંચાલક જીજ્ઞેશ કંડોલીયા દ્વારા ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પેઇન્ટિંગ તસ્વીર આપવામાં આવી.

આ પેઇન્ટિંગ ગઢડાની દીકરી હાર્દવીબેન ઓઝા એ પોતાના હસ્તે દોરીને “મિશન ભારત રત્ન” સમર્થનમાં આ અભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયાને પુરસ્કાર સ્વરૂપે આપેલ હતી.

જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મજયંતિના પવન અવસરે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહને મિશન ભારત રત્નના સંચાલક દ્વારા તેમને અપર્ણ કરવામાં આવી તેમજ ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ દ્વારા આદર અને સ્નેહપૂર્વક આ પેઇન્ટિંગનો સ્વીકાર કરી ખૂબ આનંદ વ્યક્ત કર્યો

અને વધુમાં તેમણે આ પેઇન્ટિંગ દોરનાર ગઢડાની દીકરી હાર્દવીબેન ઓઝાને ટેલિફોનિક વાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં અભિયાન સંચાલક જીજ્ઞેશ કંડોલીયા, મલય રામાનુજ, જીજ્ઞેશ પરમાર, રવિ બારૈયા હર્ષ ત્રિવેદી જોડાયા હતા.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *