Latest

ગાંધીનગર ખાતે રાજ્યપાલની શિષ્ટાચાર મુલાકાત કરતા આઇસીજીના મહાનિદેશક રાકેશ પાલ

જીએનએ ગાંધીનગર: ભારતીય તટરક્ષકના ૨૫ મા મહાનિદેશક શ્રી રાકેશ પાલ પી.ટી.એમ., ટી.એમ. રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. વિશિષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ તટરક્ષક પદકથી સન્માનિત મહાનિદેશક ફ્લેગ ઓફિસર શ્રી રાકેશ પાલ ભારતીય તટરક્ષકના પ્રથમ ગનર હોવાનું ગૌરવ ધરાવે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતીય તટરક્ષકના શૂરવીર જવાનો જીવને હથેળીમાં રાખીને સમુદ્ર સીમાની સુરક્ષા કરીને દેશની સેવા કરી રહ્યા છે. ભારતીય તટરક્ષકોને મળું છું ત્યારે હું પણ જોશની અનુભૂતિ કરું છું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતીય તટરક્ષકે દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત કરી છે. નશીલા પદાર્થોની ઘૂસણખોરી અને અન્ય ગંભીર ઘટનાઓ પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.

મહાનિદેશક રાકેશ પાલે ભારતીય તટરક્ષકની વર્તમાન કામગીરીથી રાજ્યપાલને વાકેફ કર્યા હતા અને દરિયાકાંઠાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેના આયોજનની જાણકારી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *